૩૪માં સમૂહલગ્ન “કન્યાદાન”

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા ૧૧મી માર્ચ, ૨૦૨૪- સોમવારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ૩૪માં સમૂહલગ્ન “કન્યાદાન” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંગલિક પ્રસંગે ૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ શુભ પ્રસંગે પરમ પૂજય મહંત શ્રી નિતાબા (શ્રી રવિરાંદલધામ દડવા, ધોળા) તથા श्री ભાનુબાપુ કથાકાર (ભાવનગર)ની પાવન ઉપસ્થિતિ રહી હતી અને તેમણે આ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. શાસ્ત્રી મુનિ મહારાજે સમૂહ લગ્નમાં લગ્નવિધિ કરી આશીર્વાદ આપ્યા હતા. આયોજીત કાર્યક્રમમાં ચાર- ચાંદ લગાવવા માટે સુરતના ઈનફ્લુએન્સર તેમજ સમાજસેવક કપલ પારુ અને ગુરુ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ હિંગુ, પ્રમુખ શ્રી ચંદુભાઈ ગોહિલ, યુવક પ્રમુખ શ્રી હિતુભાઈ સોલંકી, કારોબારી પ્રમુખ શ્રી ક્રાંતિભાઈ જેઠવા, ઉપપ્રમુખ શ્રી નાથાભાઈ વાઘેલા અને શ્રી પ્રકાશભાઈ ગોહિલ તથા કારોબારી યુવક પ્રમુખ શ્રી જીતુભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસર પર સમાજના તમામ સભ્યોની વિગતવાર માહિતી પૂરી પાડતી એપ “સમાજ સેતુ” લોન્ચ કરવામાં આવી હતી. જે ટૂંક સમયમાં સમાજના વોટ્સઅપ ગ્રુપ માં મુકવામાં આવશે. આ એપનું નિર્માણ શ્રી નિમેષ ખોરસિયા, શ્રી અમિત વાઘેલા તથા શ્રી રાજન ખોરસિયા દ્વારા કરવામાં આવ્યું છે.

શ્રી સૌરાષ્ટ્ર સઇ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ પ્રેરિત યુવક મંડળ આયોજિત “34” માં સમુહલગ્ન “કન્યાદાન ” નું તારીખ ૧૧-૦૩-૨૦૨૪ ના સોમવારના ના રોજ સફળતાપૂર્વક યોજવામાં આવેલ.