શ્રી સૌરાષ્ટ્ર સઈ-સુથાર જ્ઞાતિ, અમદાવાદનો 29મો ઈનામ વિતરણ કાર્યક્રમ અને સામાન્ય વાર્ષિક સભા નું આયોજન તારીખ ૦૪-૦૯-૨૦૨૨ રવિવારના જમના બા ભવન, નરોડા ખાતે યોજાયો. બાળમંદિરથી લઈને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનું સમ્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત ૨૦૧૯માં યોજાયેલ ૩૨માં સમૂહ લગ્નમાંથી જે જોડાને પ્રથમ દીકરી અવતરી તેના માતા-પિતાને પરસોત્તમભાઈ એચ. હિંગુ તરફથી દીકરી જન્મને પ્રોત્સાહન આપવાના હેતુથી રૂ. ૧૧૦૦૦ નો ચેક એનાયત કરવામાં આવ્યો.